સુરતમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ

200 ચોરસ મીટરમાં 18,400 સેનિટરી પેડ્સની વિશ્વની સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવી

— માસિક સ્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે “કામાખ્યા ઇંડિયા” સંસ્થાનું જાગૃતિ અભિયાન
– મોઝેક બનાવવા માટે વપરાયેલ તમામ પેડ્સનું વિવિધ બિન-લાભકારી સંસ્થાઓ મારફતે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે

સુરત : હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલી સંસ્થા ‘કામાખ્યા ઈન્ડિયા’ સુરતમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સંસ્થા દ્વારા VR સુરતમાં અંદાજિત 18,400 સેનિટરી પેડ્સનો ઉપયોગ કરીને સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવવામાં આવી છે. લગભગ 200 ચોરસ મીટર જેટલી જગ્યામાં આ ઇમેજને “કામખ્યા લોગો” તરીકે બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માસિક સ્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનો અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે.

VR સુરત ખાતે 1-2 જૂન, 2024 ના રોજ “શેડ્સ ઓફ રેડ 2.0” શીર્ષક સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામાખ્યા ઈન્ડિયાના સ્થાપક નંદિની સુલતાનિયાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માસિક સ્રાવની સ્વચ્છતા અને જાગૃતિ માટે કામ કરે છે. અમે સમાજ અને મહિલાઓમાં માસિક ધર્મ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીં અમે 18,400 સેનિટરી પેડ્સનો ઉપયોગ કરીને મોઝેક ઇમેજ બનાવી છે. આ ઈમેજ 52×40 સ્ક્વેર ફીટ એટલે કે 200 સ્ક્વેર મીટર એરિયામાં બનાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી સેનિટરી પેડ મોઝેક ઈમેજ છે. “કામાખ્યા લોગો” તરીકે બનાવવામાં આવેલ આ ઈમેજમાં, અમે બાયોડિગ્રેડેબલ ઈકો ફ્રેન્ડલી સેનિટરી પેડ્સનો ઉપયોગ કર્યો છે.

આ ઉત્સવ, કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૂચિબદ્ધ 17 ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ છે. તેની તારીખો 28 મે અને 5 જૂનની વચ્ચે છે, જે અનુક્રમે માસિક સ્વચ્છતા દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ છે. ઇવેન્ટ દરમિયાન અમે આ બંને વિષયો અને તેમના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. સપ્તાહના અંતે આ ઈવેન્ટનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઈવેન્ટને ટોક ઓફ ધ ટાઉન બનાવવાનો અને માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓ અને શરમને દૂર કરવાનો અને માસિક સ્રાવની સ્વચ્છતા અને જાગૃતિ ફેલાવવાનો છે. આ બે દિવસીય કાર્યક્રમની સાથે અમે અહીં સંબંધિત મનોરંજન કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છીએ. અહીં મોઝેક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ પેડ્સનું આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ બિન-લાભકારી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવશે.

નંદિની સુલતાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ ઇવેન્ટને જાગૃતિ અભિયાન અને તહેવારની જેમ ઉજવી રહ્યા છીએ. જેમાં વિવિધ બિન-લાભકારી, વ્યાપારી સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓ અને વર્કશોપ દ્વારા કામગીરી કરી રહી છે. જેનું અંતિમ ધ્યેય પર્યાવરણને અનુકૂળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે.

કાર્યક્રમ દરમિયાન, નંદિની સુલતાનિયા અને અંજના પટોડિયાએ સેનેટરી પેડનો ઉપયોગ, માસિક સ્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ પેડ્સ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. અહીં એક પ્રશ્ન-જવાબ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન કામાખ્યા ઈન્ડિયાના નિર્દેશક અરુષા રેલન અને આરતી ગંગવાલે કર્યું હતું.